વિશ્વમાં શીત યુદ્ધ જેવી સ્થિતિ-આઇએમએફ

0
126

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે વિશ્વમાં વધતા વૈશ્વિક વેપાર તણાવના ગંભીર પરિણામોને રોકવા માટે દેશોએ વધુ પ્રયાસો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ બીજા શીત યુદ્ધને રોકવામાં મદદ કરશે. જ્યોર્જિવાએ વધુ માં કહ્યું, “હું એવા લોકોમાંથી એક છું જેઓ જાણે છે કે શીત યુદ્ધના પરિણામો શું છે.” તે પ્રતિભા અને વિશ્વમાં યોગદાનને મોટું નુકસાન પહોંચાડી શકે છે.તેમણે ભારપૂર્વક કહ્યું કે હું ફરીથી શીત યુદ્ધ જોવા માંગતી નથી. તેમણે કહ્યું કે વિશ્વ બેંક અને IMF જેવી બહુપક્ષીય સંસ્થાઓની ગંભીર આર્થિક પરિણામો સાથે વિશ્વને અલગ અલગ બ્લોકમાં વિભાજીત થવાથી રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે.જ્યોર્જિવાએ કહ્યું કે નીતિ નિર્માતાઓ તેમના નાગરિકોના “હિતોનું રક્ષણ” કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણે વધુ તર્કસંગત બનવામાં નિષ્ફળ જઈશું, તો દરેક જગ્યાએ લોકોની સ્થિતી વધુ ખરાબ થશે.