પીએમ 14 એપ્રિલે આસામની મુલાકાતે

0
49

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 એપ્રિલે આસામની મુલાકાત લેશે. આ દરમિયાન પીએમ મોદી ગુવાહાટી એઈમ્સ અને અન્ય ત્રણ મેડિકલ કોલેજ રાષ્ટ્રને સમર્પિત કરશે અહીં તેઓ 14,300 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે તેઓ અહી આપકે દ્વાર આયુષ્માન અભિયાનની પણ શરૂઆત કરી આસામ એડવાન્સ્ડ હેલ્થ કેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. આ સિવાય વડાપ્રધાન બ્રહ્મપુત્રા નદી પર પલાશબારી અને સુલકુચીને જોડતા પુલનો શિલાન્યાસ અને સાથેજ શિવસાગર રંગ ઘરના બ્યુટીફિકેશનના કામનો  શિલાન્યાસ કરશે. આમ આસામને અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી 14, 300 કરોડની ભેટ આપશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.