રાજ્ય સરકારે ઝૂલતા પુલ દુર્ઘટનામાં કાર્યવાહી કરી

0
253

રાજ્ય સરકારનો મોટો નિર્ણય

મોરબી નગરપાલિકાને જાહેર કરાઈ સુપરસીડ

મોરબી પૂલ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોરબી નગરપાલિકાને સુપરસીડ જાહેર કરાઈ છે.  રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. મોરબી પૂલ દુર્ઘટનામાં 130થી વધુ વ્યક્તિઓનો ભોગ લેનારી ઘટનાના પડઘા પડ્યા છે. 52 સભ્યોની મોરબી નગરપાલિકાને અંતે સુપરસીડ જાહેર કરાઈ છે. અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોપાયો છે. હાઇકોર્ટના ડાયરેક્શન બાદ રાજ્ય મોટો નિર્ણય લીધો છે. 30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાએ દેશભરને હચમચાવી મૂક્યો હતો. પુલના નવીનીકરણ બાદ ખુલ્લા મૂકાયાના ગણતરીના દિવસોમાં ગોઝારી ઘટના બની હતી