કેટલાક લોકો વિદેશની ધરતી પર દેશની છબી બગાડી રહ્યા છેઃધનખડ

0
362

ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો વિદેશમાં જઈને ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ છે. આ લોકોએ તેમના નિવેદનો પર ધ્યાન આપવું જોઈએ.આવા લોકોને રોકવા જોઈએ. તેમણે કહ્યું કે વિદેશમાં જઈને દેશની ખામીઓ વિશે વાત કરવાને બદલે નેતાઓએ તેઓ શું કહી રહ્યા છે તેના પર ધ્યાન આપવું જોઈએ.