જંતર-મંતર પર યોજાઈ કેન્ડલ માર્ચ

0
39

કુસ્તીબાજોના આંદોલનને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. કુસ્તીબાજોએ બ્રીજભૂષણ સિંહ દ્વારા કરવામાં આવેલ મહિલાઓના યૌન શોષણ અંગે આ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે મંગળવારના રોજ કુસ્તીબાજોએ જંતર-મંતર પર કેન્ડલ માર્ચ યોજી હતી.કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો કે તેમની કૂચને ધ્યાનમાં રાખીને પોલીસે ઈન્ડિયા ગેટ ખાલી કરી દીધો, જેથી લોકો તેમના સમર્થનમાં ભાગ ન લઈ શકે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે. આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે અમારી બહેનોનું સન્માન અમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી દેશની દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલુ જ રહેશે. ઘણા લોકો આ આંદોલનને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. તેથી હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે સમર્થન આપતા રહો.

વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો, યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો