ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

0
823

ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી ઇન્ડીગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં 137 મુસાફરો સવાર હતા . . ડીજીસીએના જણાવ્યા અનુસાર, ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોની ફ્લાઈટ 6E897 મંગળવારે સવારે 5:10 વાગ્યે રવાના થઈ હતી. આ ફ્લાઈટે બેંગલુરુથી વારાણસી માટે ઉડાન ભરી હતી.