અતિક-અશરફ હત્યા કેસ:યોગી સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ

0
208

અતિક-અશરફ હત્યા કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.શુક્રવારે આ અંગે સુનાવણી થવાની છે. આ પહેલા હવે  ઉત્તરપ્રદેશની સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે.યુપી સરકારે કહ્યું છે કે તેની બાજુ સાંભળ્યા વિના સુપ્રીમ કોર્ટ દ્વારા  કોઈ આદેશ પસાર કરવામાં  ન આવે .વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે અતીક-અશરફ હત્યા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયધીશની  સિમિતિને સોંપવામાં આવે