Home Desh Shankaracharya Camp :મોડી રાતે શંકરાચાર્યના શિબિરમાં ધક્કામુક્કી, ‘CM યોગી ઝિંદાબાદ’ અને...

Shankaracharya Camp :મોડી રાતે શંકરાચાર્યના શિબિરમાં ધક્કામુક્કી, ‘CM યોગી ઝિંદાબાદ’ અને ‘આઈ લવ બુલડોઝર બાબા’ના નારા સાથે યુવકો ઘૂસ્યા

0
265
Shankaracharya
Shankaracharya

Shankaracharya Camp :પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે છેલ્લા સાત દિવસથી ચાલતા વિવાદ વચ્ચે શનિવારે મોડી રાતે તણાવભરી ઘટના સામે આવી છે. શંકરાચાર્યના શિબિરમાં કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ અચાનક બગડી હતી.

Shankaracharya Camp :ભગવો ઝંડો લઈને પહોંચ્યા 10થી 15 યુવકો

Shankaracharya Camp

મળતી માહિતી અનુસાર, ‘કટ્ટર સનાતની સેના’ નામના સંગઠનના 10થી 15 યુવકો ભગવો ઝંડો લઈને શંકરાચાર્યના શિબિરમાં પહોંચ્યા હતા. તેઓ ‘CM યોગી ઝિંદાબાદ’ અને ‘આઈ લવ બુલડોઝર બાબા’ના નારા લગાવતા અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Shankaracharya Camp :શિષ્યો સાથે ધક્કામુક્કી, 15 મિનિટ સુધી હોબાળો

યુવકોને અટકાવતા શંકરાચાર્યના શિષ્યો સાથે ધક્કામુક્કી થઈ હતી. લગભગ 15 મિનિટ સુધી શિબિરમાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાથી શિબિર વિસ્તારમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. સંગઠનનો પ્રમુખ સચિન સિંહ હોવાનું કહેવાય છે.

શિબિર ચારેબાજુથી બંધ, રસ્તાઓ બ્લોક

Shankaracharya Camp

પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે શંકરાચાર્યના શિષ્યોએ શિબિરને ચારેબાજુથી ઘેરી લીધી હતી. અંદર જવાના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સેવકો દ્વારા સમજાવીને તોફાની તત્વોને શિબિર બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસમાં ફરિયાદ નોંધાઈ

શિબિર પ્રભારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અસામાજિક તત્વો લાકડી-દંડા અને ઝંડા સાથે શિબિરમાં ઘૂસ્યા હતા અને મારપીટ કરવા પર ઉતારુ હતા. શિષ્યોના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી અને કોઈ મોટી ઘટના બની શકતી હતી.

શંકરાચાર્યના જીવને જોખમની આશંકા

શિષ્યોએ જણાવ્યું છે કે શંકરાચાર્ય ઘણી વખત શિબિરની બહાર બેઠા હોય છે. જો આવા તોફાની તત્વો ફરી હુમલો કરે તો શંકરાચાર્યના જીવને જોખમ ઉભું થઈ શકે છે. આથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે.

ગૌ-પ્રતિષ્ઠા પ્રેરણા યાત્રા રદ

આ ઘટનાના પગલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આજે ગૌ-પ્રતિષ્ઠા પ્રેરણા યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ દરરોજ આ યાત્રા કાઢતા હતા, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો જોડાતા હતા. જોકે, શિબિર તરફથી આ નિર્ણય અંગે હજી સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :UNHRC Vote: UNમાં ભારતે ઈરાનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું, પશ્ચિમી દેશો ચોંક્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે