વડોદરા PM મોદી #pmmodi #narendramodi #vadodara #modivisitvadodara #vadodaravisit – વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન હરણી દુર્ઘટનાના પીડિત પરિવારોના આક્રોશ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ માટે ખાસ સુરક્ષા અને વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે.
ગુજરાતમાં QR કોડ સ્કેન કર્યા પછી જ PM મોદીના કાર્યક્રમમાં મળશે એન્ટ્રી

વડોદરા PM મોદીના કાર્યક્રમમાં સુરક્ષા માટે પોલીસ વેરિફિકેશન પણ શક્ય
આ વખતના કાર્યક્રમમાં હાજર રહેતાં દરેક વ્યક્તિને QR કોડ દ્વારા જ એન્ટ્રી મળશે. સુરતમાં ભાજપના કોર્પોરેટરો, હોદ્દેદારો અને એનજીઓના સભ્યો સહિત વિશિષ્ટ નાગરિકોને QR કોડ આપવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

500 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે પીએમ
જેને QR કોડ જનરેટ નથી થતો તેના માટે ટેકનિકલ સર્પોટ પણ આપવામાં આવી રહ્યો છે અને QR કોડ સાથે સાથે પોલીસ વેરીફિકેશન પણ કરવામાં આવી શકે છે.
આ કાર્યક્રમમાં 500 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાત મુર્હૂત કરવામાં આવશે.
જેમાં 150 કરોડના બાયોડાયવર્સીટી પાર્કનો સમાવેશ થાય છે. સુરતથી લગભગ 1400 લોકો કાર્યક્રમમાં જશે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે