PM Modi in Gujarat: સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ, PM મોદી 11 મે ના રોજ લેશે મુલાકાત, સંઘર્ષ અને આસ્થાના પર્વને કર્યો યાદ

0
116
PM Modi in Gujarat
PM Modi in Gujarat

PM Modi in Gujarat: ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ સોમનાથની મુલાકાત લેવાના છે. પોતાની યાત્રા પૂર્વે વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક વિશેષ પોસ્ટ કરી છે અને એક ભાવુક પત્ર પણ લખ્યો છે.

PM Modi in Gujarat

PM Modi in Gujarat: PM મોદીનો વિશેષ પત્ર અને લાગણી:

વડાપ્રધાને તેમના પત્રમાં સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ અને તેના પુનઃનિર્માણ માટે પૂર્વજોએ કરેલા મોટા સંઘર્ષને યાદ કર્યો છે. તેમણે આ યાત્રાને લઈને નીચે મુજબની મુખ્ય વાતો કહી છે:

  • સૌભાગ્યશાળી પળ: 11 મેના રોજ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત થશે.
  • 75 વર્ષની ઉજવણી: આ યાત્રા મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ખાસ અવસરે યોજાઈ રહી છે.
  • શ્રદ્ધાનું પ્રતીક: સોમનાથ મંદિર ભારતની અસ્મિતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે, જે આપણને પૂર્વજોના સંઘર્ષની સતત યાદ અપાવે છે.

PM Modi in Gujarat: મુલાકાતનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 11 મેના રોજ સોમનાથમાં આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં વિશેષ હાજરી આપશે. આ ઐતિહાસિક કાર્યક્રમ બાદ તેઓ વડોદરાની પણ મુલાકાત લેશે, જ્યાં તેમના હસ્તે સરદારધામનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઈરાન ઘેરાયું! સાઉદી અને કુવૈતે અમેરિકી સૈન્ય પરથી પ્રતિબંધ હટાવ્યા, ટ્રમ્પના ‘ઓપરેશન ફ્રીડમ’ને મળી લીલી ઝંડી