Home State Gujarat No Attendance, No Grant: ગ્રાન્ટેડ શાળાઓ માટે રાજ્ય સરકારનો કડક નિર્ણય વિદ્યાર્થીઓની...

No Attendance, No Grant: ગ્રાન્ટેડ શાળાઓ માટે રાજ્ય સરકારનો કડક નિર્ણય વિદ્યાર્થીઓની વર્ગખંડમાં હાજરીના આધારે મળશે ગ્રાન્ટ, નિયમ ન માન્ય તો 100% સુધી ગ્રાન્ટ બંધ

0
351
No Grant
No Grant

No Attendance, No Grant: ગુજરાત સરકારએ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને લઈને મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટનો સીધો સંબંધ વિદ્યાર્થીઓની વર્ગખંડમાં વાસ્તવિક હાજરી સાથે રહેશે. માત્ર દાખલ સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવાની પદ્ધતિમાં ફેરફાર કરીને હાજરીને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્ર મુજબ લઘુમતી શાળાઓ સહિત તમામ ગ્રાન્ટેડ શાળાઓ માટે આ નિયમ ફરજિયાત રહેશે. જો નિર્ધારિત ટકાવારી મુજબ વિદ્યાર્થીઓની હાજરી નહીં રહે, તો શાળાને મળતી ગ્રાન્ટમાં ભારે કાપ મૂકવામાં આવશે, જે કેટલીક પરિસ્થિતિમાં 100 ટકા સુધી પહોંચી શકે છે.

No Attendance, No Grant

No Attendance, No Grant: શહેરી શાળાઓ માટે કડક માપદંડ

શહેરોમાં આવેલી ગ્રાન્ટેડ શાળાઓમાં ઓછામાં ઓછી 80 ટકા વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે. જો હાજરી 80 ટકાથી ઓછી રહેશે, તો શાળાને મળતી ગ્રાન્ટમાંથી 25 ટકા કાપી લેવામાં આવશે. સૌથી કડક જોગવાઈ મુજબ, જો વિદ્યાર્થીઓની હાજરી 60 ટકા કરતાં પણ ઓછી નોંધાશે, તો તે શાળાની સંપૂર્ણ 100 ટકા ગ્રાન્ટ બંધ કરવામાં આવશે.

No Attendance, No Grant: ગ્રામ્ય વિસ્તારો માટે અલગ નિયમ

ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારએ ત્યાં અલગ માપદંડ નક્કી કર્યા છે. ગામડાની ગ્રાન્ટેડ શાળાઓમાં ઓછામાં ઓછી 55 ટકા હાજરી જરૂરી રહેશે. જો કોઈ શાળામાં હાજરી 40 ટકાથી નીચે ઉતરી જશે, તો સરકાર કડક કાર્યવાહી કરી શાળાની સંપૂર્ણ ગ્રાન્ટ અટકાવી દેશે.

No Attendance, No Grant

સરકારનો ઉદ્દેશ્ય શું?

આ નિર્ણયનો મુખ્ય હેતુ માત્ર કાગળ પર ચાલતી શાળાઓ પર રોક લગાવવાનો અને વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળામાં હાજર રાખવાનો છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ પગલાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અને શાળા સંચાલકો વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે વધુ જવાબદાર બનશે.

સરકારના આ નિર્ણયથી હવે સ્પષ્ટ સંદેશ મળે છે કે ગ્રાન્ટ મેળવવી હોય તો શાળાઓએ માત્ર દાખલ સંખ્યા નહીં, પરંતુ વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી પણ સુનિશ્ચિત કરવી પડશે.

આ પણ વાંચો :T20 World Cup 2026:T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે