કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિખવાદ?

0
40

કર્ણાટક કોંગ્રેસમાં આતંરિક વિખવાદ પાર્ટી હાઈકમાંડ માટે ચિંતાનો વિષય છે. અહીં કોંગ્રેસના નેતા સી. પુત્તરંગશેટ્ટીએ કર્ણાટક વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમના નામની મંજૂરી કોંગ્રેસ પાર્ટીએ આપી હતી. જેને તેમને ફગાવી દીધી છે. તેમણે આ અંગે કહ્યું હતું કે, “હું આ પદ નહીં સ્વીકારું. કેમ કે, મને મારા સમર્થકોએ કહ્યું છે કે આ પદ સ્વીકાર્ય બાદ તેમની પહોંચ મારા સુધી મર્યાદિત થઇ જશે.” આપને જણાવી દઈએ કે સી. પુત્તરંગશેટ્ટીએ ચામરાજનગરથી ભાજપના નેતા વી. સોમન્નાને હરાવ્યા હતા.