ગુજરાતમાં કોરોનાના કેસમાં વધઘટ યથાવત

0
39
id3k4mjw

ગુજરાતમાં કોરોનાના નવા ૩૦૧ કેસ

અમદાવાદમાં સૌથી વધુ નવા ૧૧૭ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધઘટ યથાવત છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા ૩૦૧ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૧૭ કેસ નોંધાયા છે, જયારે રાજકોટમાં નવા ૩૧ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં ૩૪, સુરતમાં ૨૬, વડોદરામાં ૩૬, વલસાડમાં ૭ કેસ અને ગાંધીનગરમાં ૭ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ ૧૦ લોકો વેન્ટીલેટર પર છે. જયારે ૨૩૨૨ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૬ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૨૬૩ લોકો ડીસ્ચાર્જ થયા છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.