રાધનપુરમાં ચકચારી ઘટના બની, લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

0
36

લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાની છરીના ઘા ઝીંકી હત્યા

રાધનપુરમાં એક ચકચારી ઘટના બની છે. અહીં એક યુવાનની લગ્નના એક દિવસ પહેલા જ હત્યા કરી દેવામાં આવી છે. આ યુવક અમરપુર ગામનો રહેવાસી હતો. મૃતકનું નામ વિપુલ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. આ યુવક રાધનપુરમાં લગ્નની ખરીદી કરવા માટે ગયો હતો. જ્યાં છરીને ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવાઈ છે. ઘટનાની જાણ થતા જ યુવકના પરિજનો ભાંગી પડ્યા છે. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. પોલીસે આ મામલે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.