Home Desh Nagpur Tragedy:નાગપુરની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: વિસ્ફોટક બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતા 17 શ્રમિકોના...

Nagpur Tragedy:નાગપુરની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: વિસ્ફોટક બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતા 17 શ્રમિકોના કરુણ મોત

0
207
Nagpur Tragedy

Nagpur Tragedy:મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાટોલ તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. રાઉલગાંવ સ્થિત એસબીએલ એનર્જી લિમિટેડ (SBL Energy Limited) નામની વિસ્ફોટક બનાવતી કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 શ્રમિકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 18 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Nagpur Tragedy:સવારે કામ શરૂ થતા જ સર્જાઈ દુર્ઘટના

Nagpur Tragedy

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ધડાકો આજે સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે થયો હતો. શ્રમિકો જ્યારે સવારની શિફ્ટમાં કામ પર આવ્યા અને વિસ્ફોટક બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે અચાનક એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આસપાસના કેટલાક કિલોમીટર સુધી સંભળાયો હતો અને કંપનીના તે યુનિટના ફૂરચા ઉડી ગયા હતા.

Nagpur Tragedy:બચાવ કામગીરી અને ઈજાગ્રસ્તોની સ્થિતિ

નાગપુર ગ્રામીણના એસપી હર્ષ પોદ્દારે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે:

  • વિસ્ફોટ સમયે યુનિટમાં અંદાજે 25 થી 30 શ્રમિકો હાજર હતા.
  • 18 ગંભીર રીતે ઘાયલ શ્રમિકોને તાત્કાલિક નાગપુરની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
  • હજુ પણ કેટલાક મજૂરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકાને પગલે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

ભીષણ આગ અને અફરાતફરીનો માહોલ

વિસ્ફોટ બાદ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કંપનીના પરિસરમાં હાજર અન્ય શ્રમિકો અને આસપાસના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

એસબીએલ એનર્જી લિમિટેડ વિશે

આ કંપની મુખ્યત્વે ખાણકામ (Mining) અને ઔદ્યોગિક વપરાશ માટેના વિસ્ફોટકો બનાવે છે. પ્રાથમિક તપાસમાં વિસ્ફોટક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ ટેકનિકલ ખામી કે બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો :અમેરિકા-ઈઝરાયલના હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનીનું મોત; સમગ્ર દેશમાં 40 દિવસનો શોક

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે