Mukhtar Ansari News: સાંસદ અફઝલ અંસારીએ પોતાના ભાઈ મુખ્તાર અંસારીના મોત પર મોટો અને ગંભીર દાવો કર્યો છે. તેણે કહ્યું છે કે મુખ્તારના મૃતદેહને ખાસ રીતે દફનાવવામાં આવ્યો છે, જેથી આગામી 20 વર્ષ સુધી મૃતદેહની તપાસ કરી શકાય. તેમણે કહ્યું કે પોલીસ કસ્ટડી દરમિયાન મુખ્તારનું મોત અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
Mukhtar Ansari: અવશેષોને સાચવી રાખવામાં આવ્યા છે
અફઝલ અન્સારીનું કહેવું છે કે, મુખ્તાર અંસારીના અવશેષોને સાચવી રાખવામાં આવ્યા છે અને મૃતદેહને એવી રીતે દફનાવવામાં આવ્યો છે કે 5, 10 કે 20 વર્ષ પછી પણ નખ અને વાળની તપાસ કરી શકાય છે, જેનાથી મૃત્યુનું કારણ બહાર આવશે. અફઝલ અંસારીએ આ દરમિયાન એમ પણ કહ્યું કે તે જેલમાં હતો ત્યારે પણ મુખ્તાર વિરુદ્ધ 50 થી વધુ કેસ નોંધાયેલા હતા. આ અન્યાયની ચરમસીમા છે.
તેણે કહ્યું કે મુખ્તારનું મોત કસ્ટડીમાં થયું, આ રાજધર્મની હત્યા છે. અફઝલ અંસારીએ સરકાર અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, મુખ્તારને જેલમાં ઝેર આપવામાં આવ્યું છે અને મુખ્તારની સંપૂર્ણ યોજના હેઠળ હત્યા કરવામાં આવી છે, જેમાં સાદા કપડામાં ફરતા ડોક્ટરો, જેલ પ્રશાસન, સરકાર અને એલ.આઈ.યુ. અને એસટીએફના લોકો સામેલ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો
Discover more from VR LIVE GUJARAT: Gujarat News
Subscribe to get the latest posts to your email.