સ્કૂલોને ડ્રેસકોડ રાખવાનો અધિકાર છે- કેરળના રાજ્યપાલ

0
144

સ્કૂલોને પોતાના ગણવેશ નક્કી કરવાનો અધિકાર છે- આરિફ મોહંમદ ખાન

વ્યક્તિગત રીતે કોઇને હિજાબ કે બુરકા પહેરવાથી અટકાવાયા નથી- રાજ્યપાલ

કર્ણાટકમાં હિજાબ ઉપર પ્રતિબંધ જેવા મુદ્દાઓથી ભાજપ જીતી શક્યુ નથી,,ત્યારે કેરળના રાજ્યપાલ આરિફ મોહંમદ ખાને કહ્યુ છે કે શાળાઓને તેમનો ગણવેશ નક્કી કરવાનો અધિકાર છે, તેઓએ કોઇ વ્યક્તિ ઉપર પ્રતિંબંધ નથી લગાવ્યો,, કોઇ વ્યક્તિગત રીતે હિજાબ કે બુરકા પહેરી શકે છે, તેના ઉપર કોઇએ રોક લગાવ્યો નથી, ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસમાં શિસ્ત જાળવણીનો અધિકાર છે,, તેમાં કોઇને મુશ્કેલી ન હોવી જોઇએ,, તમને જણાવી દઇએ કે આરિફ મોહમંદ ખાનને ભારતિય જનતા પાર્ટીએ રાજ્યપાલ તરીકે કેરળમાં નિમણુંક આપી છે, તેઓ પહેલા કોંગ્રેસના નેતા હતા,