બજરંગ દળે કોંગ્રેસને મોકલી માનહાની બદલ નોટીસ

0
48

એક અબજ દસ લાખ રૂપિયાની માનહાની બદલ નોટીસ

બજરંગ દળે કોંગ્રેસને માનહાની બદલ નોટીસ મોકલી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના ઘોષણા પત્રમાં બજરંગ દળ પર પ્રતિબંધની માંગ કરવાની જાહેરાતથી માનહાની બદલ એક અબજ દસ લાખ રૂપિયાની કાનૂની નોટીસ મોકલી છે.

ચંદીગઢના વિશ્વ હિંદુ પરિષદના લીગલ સેલના કો-હેડ એડવોકેટ સાહિલ બંસલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને નોટીસ મોકલી છે

આ નોટીસમાં લખવામાં આવ્યું છેકે બજરંગ બલીના કરોડો ભક્તોની ભાવનાને ઠેસ પહોંચી છે. અને 14 દિવસમાં માંન્હાનીનું વળતર ચુકવવામાં નહિ આવે to આ કેસ કોર્ટમાં જશે.

અહી આપને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે. દરેક પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં પોતપોતાના પક્ષ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે જ શાબ્દિક પ્રહાર , આરોપ અને પ્રત્યારોપ પણ લાગી રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.