જમ્યા પછી પેટ ભારે ભારે લાગે છે? તો કરી લો આ આયુર્વેદિક ઉપાય

2
395
જમ્યા પછી પેટ ભારે ભારે લાગે છે? તો કરી લો આ આયુર્વેદિક ઉપાય
જમ્યા પછી પેટ ભારે ભારે લાગે છે? તો કરી લો આ આયુર્વેદિક ઉપાય

જમ્યા પછી પેટ ભારે ભારે લાગે છે તો કરી લો આ આયુર્વેદિક ઉપાય, આ ઉપાય કાર્ય પછી ક્યારેય પેટ ભારે લાગવાની સમસ્યા નહીં રહે. આયુર્વેદિક ઉપચાર હમેશા દરેક વ્યક્તિ માટે એક આશીર્વાદ સમાન છે. કારણકે આયુર્વેદિક દવાઓ કોઈ પણ આડ અસર વિના દર્દમાં રાહત આપે છે. જયારે પણ આપણે જમવા માટે બેસીએ છીએ ત્યારે આપણે જેટલી ભૂખ લાગે તેટલોજ ખોરાક ખાઈએ છીએ, પરંતુ જયારે તમારી કોઈ મનપસંદ વાનગી બનાવી હોય ત્યારે તમે જરૂર કરતા વધુ ખોરાક ખાઈ જાઓ છો. પરંતુ ખાધા પછી તમને અહેસાસ થાય છે કે આજે જરૂર કરતા વધુ ખવાઈ ગયું છે. ત્યારે આયુર્વેદી ઉપચાર કરવો ખુબજ ઉપયોગી નીવડે છે. જરૂર કરતા વધુ ખાવાના કારણે પેટ ભારે થઈ જાય છે અને પેટની સમસ્યા થાય છે. જો તમને પણ ખોરાક ખાવાના થોડા સમય પછી પેટ ભારે થવાની સમસ્યાથી રહે છે , તો તમારે સાવચેત રહેવું જોઈએ અને આ સમસ્યાને દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ.

 શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર

તો આજે અમે તમને કેટલાક ઘરેલું આયુર્વેદિક ઉપાય વિષે જણાવીશું જે ઉપાયની મદદથી તમે તમારા પેટમાં ભારેપણાની સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો

આયુર્વેદમાં મધ ને સ્વાસ્થ્ય માટે ફાયકારક માનવામાં આવ્યું છે. મધઅનેક રોગો માટે રામબાણ સાબિત થાય છે. મધમાં રહેલા પોષક તત્વો અનેક રોગોમાં રાહત આપે છે. જો તમે પણ પેટના ભારેપણુંથી પરેશાન છો તો મધના ઉપયોગથી તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.આ માટે તમારે દિવસમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત એક ચમચી મધનું સેવન કરવું જોઈએ. આનાથી તમે પેટના ભારે થવાની સમસ્યાથી જલ્દી જ છુટકારો મેળવી શકો છો.

પેટ ભારે થવાની સમસ્યામાં વરિયાળી ફાયકારક સાબિત થાય છે. જો તમે પેટના ભારે થવાની સમસ્યાથી પરેશાન છો, તો શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપચાર છે વળીયારી . તમે એક ચમચી વરિયાળીને સાકરમાં મિક્ષ કરીને લઈ શકો છો. આનું સેવન કરવાથી તમે એક અઠવાડિયાની અંદર આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તમે સવારે અને સાંજે બંને સમયે તેનું સેવન કરી શકો છો.

અળસીના બીજ જોવામાં સરળ લાગે છે. ઘણા લોકો અળસીના બીજને જોઈને વિચારે છે કે તેનો કોઈ ફાયદો નથી, પરંતુ તેઓ જાણતા નથી કે અળસીના બીજ પેટના ભારે થવાની સમસ્યાને દૂર કરવા માટે કેટલા ફાયદાકારક છે. તમે અળસીના બીજનું સેવન કરીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આ માટે રાત્રે અળસીના બીજને પાણીમાં રાખો અને સવારે ઉઠતાની સાથે જ આ પાણીનું સેવન કરો.

અન્ય એક  આયુર્વેદિક ઉપચારમાં  ઈલાયચીમાં રહેલા તત્વો પેટને સાફ કરવામાં મદદ કરે છે. પેટના ભારેપણુંને દૂર કરવામાં તે તમને ખૂબ જ સારી રીતે મદદ કરી શકે છે. આ માટે હુંફાળા પાણીમાં એલચી પાવડર મિક્સ કરીને તેનું સેવન કરો, તમારી સમસ્યા દૂર થઈ જશે.

ખાસ નોંધ– આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

2 COMMENTS

Comments are closed.