Strait of Hormuz Crisis: પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વણસતી જતી પરિસ્થિતિની સીધી અસર હવે ભારતના રસોડા અને વાહનવ્યવહાર પર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે હાઈ-લેવલ મંત્રીસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશની ઉર્જા સુરક્ષા અને વધતા જતા ઓઈલ-ગેસના ભાવોને નિયંત્રિત કરવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

Strait of Hormuz Crisis: સરકારનો એક્શન પ્લાન: અછત રોકવા પર ભાર
ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, બેઠકમાં વડાપ્રધાને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે યુદ્ધની સ્થિતિ ગમે તે હોય, ભારતમાં ઈંધણ અને ખાતરની અછત વર્તાવી જોઈએ નહીં. બેઠકના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ રહ્યા:
- ઉર્જા પુરવઠો: ખાડી દેશોમાંથી આવતા ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાયની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
- ભાવ નિયંત્રણ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવા છતાં સ્થાનિક ગ્રાહકો અને ઉદ્યોગો પર તેની ન્યૂનતમ અસર થાય તેવું આયોજન.
- ખાતરની સુરક્ષા: ખેડૂતોને ખેતીકામમાં મુશ્કેલી ન પડે તે માટે ખાતરના જથ્થાનું વિતરણ પ્રણાલી કાર્યક્ષમ રાખવા સૂચના.
Strait of Hormuz Crisis: હોર્મુઝ સ્ટ્રેટ: ભારત માટે સૌથી મોટી ચિંતા
યુદ્ધના કારણે હાલમાં સૌથી વધુ ખતરો ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) પર મંડરાઈ રહ્યો છે.
- વિશ્વની કુલ 20 ટકા ઉર્જાનું પરિવહન આ સાંકડા દરિયાઈ માર્ગેથી થાય છે.
- ઈરાન દ્વારા આ માર્ગ પર જહાજોની અવરજવર સીમિત કરવાના પ્રયાસોથી ભારત અને ચીન જેવા આયાત પર નિર્ભર દેશો માટે મુશ્કેલી વધી શકે છે.
- બંદરો અને પરિવહન માર્ગો પર વધતા દબાણ વચ્ચે ભારત વૈકલ્પિક વ્યવસ્થાઓ પર પણ વિચાર કરી રહ્યું છે.
Strait of Hormuz Crisis: વૈશ્વિક સ્થિતિ સ્ફોટક
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ચોથા સપ્તાહમાં પ્રવેશ્યું છે અને ઈરાને અમેરિકી સૈન્ય બેઝ પર મિસાઈલ હુમલા કર્યા બાદ સ્થિતિ વધુ સ્ફોટક બની છે. આ સંજોગોમાં ભારત પોતાની આર્થિક ગતિ જાળવી રાખવા માટે અગાઉથી જ ‘બ્લુપ્રિન્ટ’ તૈયાર કરી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




