HomeDeshAndhra Milk Tragedy: આંધ્રમાં 'સફેદ ઝેર'નો કહેર: નકલી દૂધ પીવાથી 16 નિર્દોષોના...

Andhra Milk Tragedy: આંધ્રમાં ‘સફેદ ઝેર’નો કહેર: નકલી દૂધ પીવાથી 16 નિર્દોષોના મોત, હજુ 3 દર્દી ICUમાં જિંદગી અને મરણ વચ્ચે

Andhra Milk Tragedy: આંધ્ર પ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં નકલી દૂધે કાળો કેર વર્તાવ્યો છે. નરસાપુરમ ગામમાં ડેરી યુનિટમાંથી દૂધ પીધા બાદ અત્યાર સુધીમાં 16 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોની હાલત હજુ પણ અત્યંત ગંભીર છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે.

Andhra Milk Tragedy: શું હતી સમગ્ર ઘટના?

ગયા ફેબ્રુઆરી મહિનાથી નરસાપુરમ ગામમાં નકલી અને દૂષિત દૂધની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક ડેરી યુનિટમાંથી દૂધ લેનારા 100થી વધુ પરિવારોમાં બીમારીના લક્ષણો દેખાયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ દૂધમાં એથિલિન ગ્લાઈકોલ નામનું ખતરનાક કેમિકલ ભેળવવામાં આવ્યું હતું, જે સીધી કિડની પર અસર કરે છે.

Andhra Milk Tragedy: તંત્રની કાર્યવાહી અને તપાસ

  • ICU અને ડાયાલિસીસ: અસરગ્રસ્ત 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી અનેકને વેન્ટિલેટર અને ડાયાલિસીસ સપોર્ટની જરૂર પડી હતી.
  • ધરપકડ: પોલીસે શંકાસ્પદ દૂધ વેપારીની ધરપકડ કરી છે અને અપ્રાકૃતિક મોતનો ગુનો નોંધ્યો છે.
  • ડોર-ટુ-ડોર સરવે: હૈદરાબાદના આરોગ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ પ્રભાવિત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે. ડેરીના દૂધ, દહીં, ઘી અને પશુઓના ઘાસચારાના નમૂના પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ઐતિહાસિક સિદ્ધિ નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી ‘સરકારના વડા’ રહેનાર નેતા બન્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments