માત્ર પાંચ રુપિયામાં કયાં મળશે ખિચડી

0
34

અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજ અને શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજનાં સંયુક્ત ઉપક્રમે સોમવારથી એટલે કે તા.8મી મે 2023 થી સાંજે 6:00 થી ૪:૦૦નાં સમય દરમિયાન દરરોજ 600 વ્યક્તિને ફક્ત રૂપિયા 5 માં અન્નપૂર્ણા શાહી ખિચડી અને ફક્ત રૂ. 5 માં અમૂલની એક ગ્લાસ મસાલા છાશ આપવામાં આવશે. અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજ અને શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજનો સંયુક્ત ઉપક્રમે છેલ્લા 15 મહિનાથી દરરોજ સવારે 11:00 થી 1:00 દરમિયાન ફક્ત રૂ. 20 માં ભરપેટ ભોજન 2 શાક, દાળ ભાત, રોટલી તેમજ તહેવારનાં દિવસે ફરસાણ અને મિષ્ટાન આપવામાં આવે છે. છેલ્લા 15 મહિનામાં ૩ લાખથી વધુ લોકોએ અન્નપૂર્ણા ભોજનાલયમાં ભોજન  કર્યુ છે, અન્નપૂર્ણા ભોજનાલય માટે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજ અને શ્રી સ્વામિનારાયણ મંદિર અડાલજ આ બન્ને ટ્રસ્ટ દ્વારા એક વર્ષમાં રૂ. 1 કરોડ જેટલો ખર્ચ ભોગવવામાં આવશે.

સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ જુઓ