તેલંગાણાંમાં યાદવ સમુદાયનો ગુસ્સો કેમ ફુટ્યો ?

0
33

તેલંગાણામાં યાદવ સમુદાયે કોંગ્રેસ સામે  કર્યો વિરોધ

કોંગ્રેસ નેતા માફી નહી માંગે તો ઉગ્ર આંદોલનની અપાઇ ચિમકી

જ્યારથી કોંગ્રેસે કર્ણાટકમાં જીત હાંસલ કરી છે, ત્યારથી ટીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે વાદ વધ્યો છે, તેલંગાણામાં હાલ યાદવ સમુદાયના સભ્યોએ  હૈદરાબાદના ઇન્દિરા પાર્કમા તેલંગાણા કોંગ્રેસ પ્રમુખ રેવન્ત રેડ્ડીના વિરોધમાં પ્રદર્શન કર્યું, જ્યાં ટોળાએ ભેંસ લઇને વિરોધ કર્યો હતો, આરોપ લગાવાયો હતો કે રેવન્ત રેડ્ડીએ યાદવ સમુદાયનું અપમાન કર્યું હતું,, તેઓ હાલ માફી માંગે,,નહી તો આગામી દિવસોમાં યાદવ સમુદાય દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રિય કાર્યાલય ઉપર વિરોધ કરશે,રેવન્ત રેડ્ડીએ જમીન ઉપર દબાણોને લઇને કેટલાક સમુદાયોને જવાબદાર ગણાવ્યા હતા, પરિણામે યાદવ સમુદાયે વિરોધ પ્રદર્શન  કર્યો હતો, પણ સુત્રો કહે છે કે વિરોધ કરનારાઓ તેલંગાણા રાષ્ટ્રિય સમિતી પાર્ટી સાથે સંકડાયેલા છે,