મની લોન્ડરીંગ કેસમાં જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી

0
31

મની લોન્ડરીંગ કેસમાં તિહાર જેલમાં બંધ આપના નેતા સત્યેન્દ્ર જૈનની તબિયત અચાનક લથડતા તેમને સારવાર અર્થે સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મહત્વનું છે કે, સત્યેન્દ્ર જૈન મની લન્ડરિંગ મામલે લગભગ 1 વર્ષથી ન્યાયિક કસ્ટડીમાં છે. સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 મે 2022ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2022માં નીચલી અદાલતે મની લોન્ડરિંગ કેસમાં જૈન, તેમની પત્ની અને ચાર કંપનીઓ સહિત આઠ અન્ય વિરુદ્ધ ED દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધી હતી.