નવા સંસદ ભવનના લોકાર્પણ પ્રસંગે ૭૫ રૂપિયાનો સિક્કો બહાર પડશે

0
51

૨૮ મે ૨૦૨૩, રવિવારના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તે પૂર્વે હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે મુજબ, નવા સંસદ ભવનના લોકાર્પણ નિમિતે ૭૫ રૂપિયાનો નવો સિક્કો પણ બહાર પાડવામાં આવશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે નવા સંસદ ભવનના લોકાર્પણ નિમિત્તે ૭૫ રૂપિયાના સિક્કા બહાર પાડવા માટેનું એક નોટીફીકેશન પણ બહાર પાડ્યું છે.