વૈશાખ મહિના માં ભગવાન ને પ્રશન્ન કરવા કરો આ કામ, થશે દરેક મનોકામનાઓ પૂર્ણ

0
36

ધન સંપત્તિ થી જીવન થશે ખુશ ખુશાલ

શુભ ફાળો ની થશે પ્રાપ્તિ

હિંદુ શાસ્ત્રો મુજબ વૈશાખ મહિનાને વિશેષ માનવા માં આવ્યો છે.અને તેમાં અમુક ખાસ નિયમો નો ઉલ્લેખ પણ કરવા માં આવ્યો છે.એટલે કે વૈશાખ મહિના ની પૂર્ણિમા સુધી માં આ નિયમો નું પાલન કરવાનું હોય છે.આ નિયમો નું પાલન કરવા થી તમને કયા ફાયદાઓ થશે એ પણ તેમાં જણાવા માં આવ્યું છે.પોતાના કરિયર માં પ્રગતિ માટે ભગવાન વિષ્ણુ ને તુલસીપત્ર થી પૂજા કરવી જોઈએ. આ સાથે જ ભગવાન ના અન્ય નામો જેવા કે કેશવ અને ગોવિંદ ને પણ યાદ કરવા જોઈએ.જયારે પણ તમે વિષ્ણુ નું ધ્યાનધરો ત્યારે અવશ્ય શ્રી હરી નું પણ ધ્યાન ધરો તો તમને કરિયર માં પ્રગતિ અવશ્ય મળશેજ.

ઘર માં સુખ- સમૃદ્ધિ માટે

ઘર માં સુખ-સમૃદ્ધિ લાવવા માટે તમે ભગવાન વિષ્ણુ ને તુલસીપત્ર ની સાથે સાથે મધ પણ અર્પણ કરો તો ઘર માં અવશ્ય સુખ શાંતિ આવશે જ. શ્રી માધવ સ્વરૂપ ની સાથે સાથે તમે ભગવાન ના અનંત સ્વરૂપ ની પણ પૂજા કરો જેથી ભગવાન અવશ્ય પ્રશન્ન થશે જ.

સંકટ દુર કરવા

જીવન માં આવતા કોઈ પણ સંકટ ને દુર કરવા માટે  ભગવાન વિષ્ણુ ના અનંત સ્વરૂપ ને પંચામૃત ધરાવવું જોઈએ જેથી ભગવાન જલ્દી થી પ્રશન્ન થશે.પંચામૃત ની સાથે સાથે તુલસી નું પાન મુકવાનું પણ ક્યારેય ભૂલવું જોઈએ નહિ.આ સાથે જ સારા જીવનસાથી ની મનોકામના માટે ભગવાન ને તુલસીપત્ર વાળી મીઠાઈ નો પણ ભોગ લગાવવો જોઈએ.જોકે દરરોજ  મીઠાઈ નો ભોગ લગાવી શકાય નહિ પરંતુ ક્યારેક ક્યારેક આવી મીઠાઈ નો ભોગ લગાવા થી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને સારો જીવનસાથી મેળવવાની મનોકામના પણ પૂર્ણ થાય છે.